17 August 2018

શ્રી અટલ બિહારી વાજપાયીનું જીવન ઝરમર. આખી સૃષ્ટિ પણ રડી પડી આજે.16-8-2018

ભારત આઝાદ થયો. ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે કામગીરી કરી. ઉપરાંત ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહીને ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યાં. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યક્તિ હતાં. તેઓ વિપક્ષીદળોના નેતાઓને ખૂબ જ માન-સન્માન આપતા હતાં. અને વિરોધ પક્ષો પણ વાજપેયીને વિચાર કે સૂઝાવને આવકારી લેતા હતાં. આઝાદ ભારતના આ મહાન રાજનેતાની જિંદગીની સફર તરફ નજર કરવા જેવી છે :

અટલ બિહારી વાજપેયીના પિતાનું ક્રિષ્નાબિહારી વાજપેયી હતું. તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪નો રોજ થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ(હાલની લક્ષ્મીબાઈ કોલજ)માં અને પછી ઉત્તરપ્રદેશ સ્થિત કાનપુરની ડી.એ.વી કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. શરુઆતથી સામાજિક કાર્યોમાં રસરુચિ. વાજપેયી વ્યવસાયે પત્રકાર હતાં અને કવિતા લેખન પ્રત્યે રસરુચિ હતી. જોકે, વાજપેયીની ડેસ્ટિની રાજનીતિ તરફ જઈ રહી હતી.

- ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા

- ૧૦ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા

- બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

- ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.

૧૯૫૧ : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.

૧૯૫૭-૬૨ : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.

૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.

૧૯૬૨ : રાજ્યસભાના સાંસદ બન્યા.

૧૯૬૬-૬૭ : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ

૧૯૬૭ : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્યા.

૧૯૬૭-૭૦ : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી

૧૯૬૮-૭૩ : અધ્યક્ષ, ભારતીય જન સંઘ

૧૯૭૧ : પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે )

૧૯૭૭ : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્યા)

૧૯૭૭-૭૯ : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા.

૧૯૭૭-૮૦ : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી

૧૯૮૦ : સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્યા)

૧૯૮૦-૮૬ : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)

૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬ : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી

૧૯૮૬ : સભ્યા, રાજ્યસભા

૧૯૮૮-૮૯ : સભ્ય, જનરલ પર્પઝ કમિટી

૧૯૮૮-૮૯ : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી

૧૯૯૦-૯૧ : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ

૧૯૯૧ : દસમી લોકસભામાં ચૂંટાયા ( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)

૧૯૯૧-૯૩ : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.

૧૯૯૩-૯૬ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ

૧૯૯૩-૯૬ : વિપક્ષ નેતા, લોકસભા

૧૯૯૬ : ૧૧મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૭મી વખત)

૧૬ મે ૧૯૯૬ થી ૩૧ મે ૧૯૯૬ : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા( ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) બનાવ્યા નહીં.)

૧૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા

૧૯૯૭-૯૮ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ

૧૯૯૮ : ૧૨મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૮મી વખત)

૧૯૯૮-૯૯ : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા

૧૯૯૯ : તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.

૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪ : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.

૨૦૦૪ : ચૌદમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્યા.

આમ, અટલબિહારી વાજપેયી એક વિદ્વાન, નિષ્ઠાવાન અને જનહિતને અગ્રસ્થાને રાખીને રાજનીતિ કરનાર રાજનેતા તરીકે કાયમ ઓળખાશે.

8 August 2018

વાંચન ,લેખન ,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય

વાંચન ,લેખન,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય વર્ષ 2016-17 નું મોડ્યુલ મને મિશન વિદ્યા કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.જે બાળકો શાળાએ આવે જ છે અને મેન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બાળકોને શીખવવા માટે શિક્ષકને ઉપયોગી આનાથી વિશેષ કશું ના હોઈ શકે.તેમાં સમાવિષ્ટ તમામ વિગતો જો ધ્યાન પૂર્વક જોઈ તેને માર્ગદર્શકરૂપ લઇ વર્ગમાં કાર્ય કરતી વખતે ઉપયોગ કરીએ તો મારા મત પ્રમાણે અતિ ઉત્તમ કામ થઈ શકે.

ઓહો....એના અંદર તો જુઓ?.....
વાંચન..લેખન...ગણન ..
એમાં બાળકોની મુશ્કેલીઓ..ક્ષતિઓ...
શિક્ષકની મુંઝવણ....
તેને નિવારવાના ઉપાયો,ઉપચાર,યુક્તિઓ....
પ્રવૃતિઓ...નમૂનાઓ.
વગેરે........

શીખવવાની સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતો.
વાહ...........
લેખન-સંપાદન
ગજબના છે હો.......
તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું.શબ્દો તો ઓછા પડે.

ધોરણ 1 માથી જ આનો અમલ થાય તો નક્કર પરિણામ મળી શકે.(ફક્ત વાંચન ગણન લેખન. વય કક્ષા મુજબ )

શિક્ષક પોતાના અનુભવો જોડીને કામ કરી શકે.
દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે.પ્રિય બાળકોમાં પણ વિભાગ હોય છે.જેથી બધાને સાથે લઈ ચાલવું શક્ય નથી.તેમની ક્ષમતા મુજબ કામ કરવાનું છે.અને આ ઘડતરનું કામ આપણું છે.બાળકોને પાયાનું જ્ઞાન ના હોય તો તેને ભણવામાં રસ પડશે નહીં.શિક્ષક પોતે પણ આત્મવિશ્વાસ ખોઈ બેસશે.
આ મારો મત છે . તમારા માટે બીજું શ્રેષ્ઠ હોઈ શકે.
મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.