આજનો દિવસ ધોરણ
7 ના વિધાર્થીઓનો છેલ્લો
દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.વિદાય સમારંભ વિશે શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઇ દ્વારા
કાર્યક્રમની રુપરેખા નક્કી કરવામાં આવી.સૌ પ્રથમ બાળકોએ તેમના અનુભવો રજુ કર્યા,આ સમયે કેટલાક બાળકોએ ભીની
આંખે તેમની લાગણીઓ રજુ કરી.ત્યારબાદ તેમના વર્ગશિક્ષક અમિતભાઇએ ભીના હદયે બાળકોને
આશીર્વચન આપ્યા.સાથે તેમણે બાળકોને “સમયનુ પાલન કરજો”,તેનુ મહત્વ સમજજો.જેવા શુભાશિષ આપી બાળકોને નાનકડી ભેટ (એલાર્મ ઘડિયાળ)આપવામાં
આવી. શાળાના શિક્ષિકાબહેન પુષ્પાબેન તરફથી કંપાસની ભેટ આપવામાં આવી.તેમજ બીજા બહેનો
એ બાળકોને કેન્ડી ખવડાવી શાળાના તમામ બાળકોને ખુશખુશાલ કર્યા હતા.
અંતમાં ધોરણ 7 ના બાળકો તથા શાળાના ધોરણ 1 થી
6 ના તમામ બાળકો પ્રગતિ કરો એવા આશિર્વાદ આપી કાર્યક્રમ પુર્ણ કર્યો.
સમગ્ર કાર્યક્રમ
શાળાના તમામ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળ રહ્યો હતો.
કાર્યક્રમની કેટલીક
તસ્વીરો..................................................