2 September 2017

ચિરંજીવી બનો..............જાણો ......અને .....માણો.

ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે ;
 મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે ...

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
 મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું ...

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
 'ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો ...

-ગાયનુ ઘી છે પીળું સોનુ , 'ને મલાઈ નું ઘી ચાંદી ;
 હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી ...

-મગ કહે હું લીલો દાણો , 'ને મારે માથે ચાંદું ;
 બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું ...

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
 જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય ...

-રસોઈ રાંધે જો પીત્તળમાં , 'ને પાણી ઉકાળે તાંબુ ;
 જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું ...

-ઘર ઘર માં રોગના ખાટ્લા , 'ને દવાખાના માં બાટલા ;
 ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા ...

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
 પશ્ચિમે ચિંતા ઉપજે , 'ને ઉત્રરે હાનિ થાય ...

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
 ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી ...

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
 આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ ...

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
 બળ બુદિધ ને તન વધે સુખ માં રહે શરીર
🍏🍎🍐🍊🍋🍋🍌🍉🍉🍇🍓🍈🍒🍑🍍🍅🌽Stay  Healthy.