31 December 2018

26 December 2018

Dr.Babasaheb Ambedkar university Exam form Babat

ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમા જાન્યુઆરી 2019 મા લેવાનાર વિવિધ પરીક્ષા ના ફોર્મનું હાલ રજીસ્ટ્રેશન ચાલુ છે.તા.4/1/2019 સુધી રજીસ્ટ્રેશન ફ્રી છે.ત્યારપછી લેઈટ ફી સાથે ભરવાનું થશે.

18 November 2018

સરકારી શાળાઓમાં કેટલા શિક્ષકો-વિદ્યાર્થીઓ હાજર છે તેની સરકારને રોજેરોજ ખબર પડશે

Wednesday, 14 Nov, 4.18 pm
ગુજરાતમાં પ્રથમ વખત સેન્ટ્રલ એટેન્ડન્ટ સિસ્ટમ સોમવારથી અમલમાં આવશે : રાજયમાં ૩રપ૦૦ પ્રાથમિક શાળાઓમાં પ૩ લાખ વિદ્યાર્થીઓ : હાજરીની નિયમિતતાની ચકાસણી સાથે ભૂતિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પકડવા સરકારનો અત્યાધુનિક પ્રયોગ
રાજકોટ, તા. ૧૪ : રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી પર રોજેરોજ નજર રાખવા માટે નવા શૈક્ષણિક સત્ર તા. ૧૯ નવેમ્બરથી કોમ્પ્યુટર આધારિત અત્યાધુનિક સેન્ટ્રલ એટેન્ડન્ટ સિસ્ટમનો અમલ થનાર છે. ગુજરાતમાં પ્રથમ વખત અને કદાચ દેશમાં પણ પ્રથમ વખત શાળાઓમાં આ પ્રકારની પદ્ધતિ આવી રહી છે. ભવિષ્યમાં બાયોમેટ્રીક પદ્ધતિ પણ આવી શકે છે.

                   શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધો. ૧ થી ૮ સુધીની ૩૨૫૦૦ જેટલી સરકારી શાળાઓ છે. જેમાં ૫૩ લાખ જેટલા બાળકો નોંધાયેલા છે. શાળાએ આવતા બાળકો અને શિક્ષકોની હાજરી ચકાસવા માટે ખાસ એપ. બનાવવામાં આવી છે. જેમાં શાળાના જવાબદાર વ્યકિતએ દરરોજ નિયત સમય મર્યાદામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી અંગે એન્ટ્રી કરવાની રહેશે. માત્ર આંકડો નહિ પણ નામ જોગ માહિતી દર્શાવવી જરૂરી છે. જેનાથી રાજ્ય સરકારને કઈ શાળામાં કેટલા અને કયા શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાજરી છે તેનો તે જ દિવસે ખ્યાલ આવી જશે. શાળા તરફથી આપવામાં આવેલી માહિતીની ખરાઈ માટે સરકાર દ્વારા સરપ્રાઈઝ તપાસ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર સામે કાયદાકીય કડક પગલા ભરવામાં આવશે.

કેન્દ્રીય પદ્ધતિ મુજબની હાજરીની ચકાસણીથી શિક્ષકોની અનિયમિતતાની ફરીયાદો દૂર થશે. તેમજ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની માહિતી સરકાર સુધી પહોંચશે.
સરકાર જરૂર પડયે સતત અથવા વારંવારની ગેરહાજરીના કારણો તપાસી આગળની કાર્યવાહી કરી શકશે. ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓને ઝડપવા માટે આ નવી પધ્ધતિ ઉપયોગી થશે ખોટા નામથી અથવા અસ્તિત્વ વગરના નામથી કે માત્ર કાગળ પરના નામથી સરકારની શૈક્ષણીક યોજનાઓનો લાભ મેળવતા તત્વો પર લગામ આવશે. જેનાથી સરકારને આર્થિક ફાયદો થશે. સરકાર નવા સત્રના પ્રથમ દિવસથી જ એટેન્ડન્ટ સિસ્ટમ અમલમાં મુકવા માંગે છે જે શાળાઓમાં ઇન્ટરનેટની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાશે. સિસ્ટમના અમલ પછી સમીક્ષા કરી જરૂરી સુધારા-વધારા કરવાની સરકારની તૈયારી છે.
પ્રાથમિક શાળાઓમાં હાજરીની આ ચકાસણી પધ્ધતિ સફળ થાય તો ભવિષ્યમાં સરકારી માધ્યમિક શાળાઓમાં પણ તે લાગુ કરવાનું વિચારાશે તેની સરકારી સુત્રો જણાવે છે.


આજથી શરૂ થતાં દ્વિતીય શેક્ષણિક સત્ર માટે આપ સૌને અભિનંદન....દ્વિતીય સત્ર ખૂબ આનંદદાયક રહે અને વિધાર્થીઓના , શાળાના ઉત્તરોત્તર વિકાસ માટે વધુ પ્રયત્નશીલ બનીએ એજ મંગલભાવના સાથે....દ્વિતીય સત્ર માટે પુનઃ શુભેચ્છાઓ...,



30 October 2018


    ભારત રત્ન - લોખંડી પુરુષ સરદાર પટેલ




28 October 2018

GUJ UNIVERSITY ડિગ્રી સર્ટિ મેળવવા બાબત

ગુજરાત યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરેલ મિત્રો માટે અગત્યના સમાચાર .
ગુજરાત યુનિવર્સિટી
67મા વાર્ષિક પદવીદાન સમારંભ-2018
આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ
  1. એપ્રિલ/મે-2018 માં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાશાખના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  2. એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 દરમિયાન લેવાયેલ રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી.ની પરિક્ષા આપેલ હોય પરંતુ પરિણામ વિથહેલ્ડ હેઠળ હોય અથવા મોડું જાહેર થયેલ હોય અને જેઓએ કોલેજમાંથી પરિક્ષાના આવેદનપત્રો સાથે ફી ભરેલ હોય, તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂમ નં. 42, કોન્વોકેશન બ્રાન્ચ, પરિક્ષા વિભાગ ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે.
  3. એપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ માટેએપ્રિલ/મે-2011 કે ત્યારબાદ લેવાયેલ ઉપરોક્ત સિવાય અન્ય તમામ પદવી પરિક્ષાઓ તથા એપ્રિલ/મે-2011 પહેલાં પદવી પરિક્ષામાં ઉત્તિર્ણ થયેલ હોય અને પદવી પ્રમાણપત્ર લીધેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ  આવેદનપત્ર  સાથે રૂ. 260/- (અંકે રૂપિયા બસો સાઈઠ પૂરા) ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  4.  એપ્રિલ/મે-2011 થી ઓક્ટો/નવે.-2017 ના રેગ્યુલર બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ.,  બી.એડ., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ  તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય     નકલ (છેલ્લા વર્ષ/સેમેસ્ટર ની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ  કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે.
  5.  Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of   Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of  Prosthetics & Orthotics, Bachelor of  Homeopathic & Medicine Surgery ના   તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  6.   Bachelor of Pharmacy ના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ/પ્રેક્ટિકલ  ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

આપ પોતે રજીસ્ટ્રેશન કરી શકો છો ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ફી પણ ભરી શકો છો.બિલકુલ સરળ છે મિત્રો તો હમણાં જ પોતાનું રજીસ્ટ્રેશન કરો.નીચે આપેલ બ્લ્યુ લાઇન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
                          Convocation - 2018 Registration Link

                  LAST DATE-15/11/2018

25 October 2018

જવાહર નવોદય ન્યુઝ


*🔹ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે.... *જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....*

*🔹પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો*

*🔹જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019*

*🔹 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ *-30/11/2018*

🚸 પરીક્ષા ની તારીખ *-06/04/2019*
.
🚸 *પરિણામ ની તારીખ :જૂન /2019*

💥🅾 *આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાનુ છે. જે તમે ઘરે બેઠા પણ ભરી શકો છો.*
*🔹ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીન્ક ખોલો*
અહીં ક્લિક કરો.

➖➖➖➖➖➖➖➖➖➖➖
☑ *ડોક્યુમેન્ટ:*
🔹 *નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,*
*🔹વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,*
*🔹વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,*
*🔹આધારકાર્ડ(ફરજિયાત નથી)*

 *🔹આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

11 October 2018

   
10-10-2018
આજથી શરૂ થતા *મા આધ્યાશક્તિ* ના આરાધનાનું પર્વ એટલે *નવરાત્રી*.
*મા આધ્યાશક્તિ* આપને *સુખ સંપતિ અને વૈભવ* આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને *નવરાત્રી* ની *હાર્દિક શુભકામનાઓ*
              *🙏જય માતાજી🙏*


*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*
નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.
માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.
*પ્રથમ પંક્તિ* ‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’ એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.
*બીજી પંક્તિ* ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’ બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.
*ત્રીજી પંક્તિ* ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાં’ ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
*ચોથી પંક્તિ* ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
*પાંચમી પંક્તિ* ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.
*છઠ્ઠી પંક્તિ* ‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’ મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.
*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.
*આઠમી પંક્તિ* ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.
*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.
*દસમી પંક્તિ* ‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’ દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.
આગળની પંક્તિ *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
*બારમી પંક્તિ* ‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.
*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા,


2 October 2018

ગાંધી ગીતો -બાપુને સમર્પિત

આજના દિવસે  બાપુની યાદમાં બે ગીતો મારી શાળાના બાળકો સાથે મારા અવાજમાં ગાયા  છે.ગાંધી બાપુ ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમનો વાસ આજે કણ કણમાં છે.

ગાંધી બાપુ -----અમર હો....


ગાંધી ગીતો----ગીત પર ક્લિક કરી સાભળો.
1 . બાપુના પાઠ તમે ભણી જુઓ...


2 . એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો..

ગાંધીજીની 150 મી જન્મ જયંતિ -2 october-2018

               ચાલો બાપુને યાદ કરીએ.

                                                     
માતાપુતળીબાઈ કરમચંદ ગાંધી
પિતાકરમચંદ ઉત્તમચંદ ગાંધી
જન્મની વિગતમોહનદાસ ગાંધી Edit this on Wikidata
2 October 1869 Edit this on Wikidata
પોરબંદર રજવાડું Edit this on Wikidata
મૃત્યુની વિગત30 January 1948 Edit this on Wikidata
ગાંધી સ્મૃતિ, નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસનું સ્થળઆલ્ફ્રેડ હાઈ સ્કુલ, રાજકોટ, ઈન્નર ટેમ્પલ, યૂનિવર્સિટી કોલેજ લંડન Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, બેરિસ્ટર, રાજકીય લેખક, પત્રકાર, તત્વજ્ઞાની, આત્મકથાલેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હક્કોના વકીલ, Memoirist, માનવતાવાદી, શાંતિવાદી, શાંતિ ચળવળકર્તા edit this on wikidata
કાર્યોsatyagraha Edit this on Wikidata
જીવનસાથીકસ્તુરબા Edit this on Wikidata
બાળકોહરિલાલ ગાંધી, મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી Edit this on Wikidata
પુરસ્કારટાઈમ પર્સન ઓફ દ યર, ઓર્ડર ઓફ દ કમ્પેનીઅન્સ ઓફ ઓ. આર. ટેમ્બો Edit this on Wikidata
સહી
Gandhi signature.svg


        ગાંધીજીનો જીવન પરિચય તેમજ જીવન ઘટનાક્રમ અને તેમની આત્મકથા વિશે  માહિતી મેળવવા અહિ ક્લિક કરો. 

27 September 2018

નમસ્કાર મિત્રો,
         અહીં નીચે વાદળી કલર આપેલ છે ત્યાં ક્લિક કરશો.આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે. તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે. ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે.આપ સૌ તેની મજા માણશો.
સાંભળવા અહીં ક્લિક કરો.

13 September 2018

વનસ્પતિ ની ઓળખ તથા વિસરાતી વાનગીઓ

ગિરનારી વૃક્ષોની સચિત્ર માહિતી જોવા અહી ક્લિક કરો. 

વિસરાતી વાનગીઓ માટે અહી ક્લિક કરો. 

ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોડ્યુલ 2015-16

વિજ્ઞાન પ્રદર્શન માટે ઉપયોગી 400 કૃતિઓનો સમાવેશ આ મોડ્યુલમાં કરેલો છે.

download here

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ એપિસોડ 11/9/18

*મીના ની દુનિયા*
11-09-2018
*આજનો એપિસોડ -શર્ત - કન્યા કેળવણી*
MP3 DOWNLOAD

11 September 2018

હું બનું વિશ્વ માનવી ભાગ-1/2 સામાન્ય જ્ઞાન

પ્રાથમિક શાળાના બાળકોથી માંડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ,શિક્ષકો ,વાલીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સામાન્ય જ્ઞાન પુસ્તક ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયું છે.જે આપ સૌને ઉપયોગી થશે એવા હેતુસર અહીં "હું બનું વિશ્વ માનવી "ભાગ1/2 મુકવામાં આવ્યા છે .આશા રાખું કે આપ તેનો ભરપૂર ઉપયોગ કરશો.
આ બુક પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ છે.

ડાઉનલોડ ભાગ-1 
ડાઉનલોડ ભાગ-2

મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ-2018/19


સ્વામી વિવેકાનંદ - શિકાગોમા વિશ્વધર્મ પરિષદમાં આપેલ સંભાષણની 125મી વર્ષગાંઠ




જાણો તમારું મતદાન મથક,ભાગ નંબર અને અનુક્રમ નંબર

જાણવા માટે આટલી વિગતો ખાનામાં ભરો.
તમારું નામ
પિતા કે પતિનું નામ
ઉમર
જન્મ તારીખ
લિંગ
રાજ્ય
જિલ્લો
વિધાનસભા ક્ષેત્ર
captcha code...આપેલ મુજબ...
 ત્યારબાદ   Seacrh પર ક્લિક કરો.
અહિયા ક્લિક કરી લીન્કને ઓપન કરી ઉપર  મુજબ સ્ટેપ પુરા કરો.

5 September 2018

💐આજનો દિન શિક્ષકને સમર્પિત💐


કહેવાયું છે કે...

મૌસમ કે બદલને સે હર ફૂલ ખીલ જાતા હૈ,
પર શિક્ષક એક ઐસા ફૂલ હૈ ,જીસકે ખીલને સે હર મૌસમ બદલ જાતા હૈ...

પુરા જીવન ખીલ જાતા હૈ...
હર પલ ખુશીયોસે મહક ઉઠતા હૈ...
હર મંજિલ પા લેતા હૈ....
ઊંચી ઉડાને ભર લેતા હૈ....
સમાજ દુષણો સે મુક્ત હો જાતા હૈ....

ઔર કહી નહીં,

યહાઁ પૃથ્વી પર હી સ્વર્ગ બના દેતા હૈ,

🌹🌹🙏🙏આપ સહુને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ...🌹🌹🙏🙏

શિક્ષકની ઉપાસનાનું પર્વ એટલે  “૫ મી સપ્ટેમ્બર “ શિક્ષક દિન “

આપણે  ત્યાં પૌરાણિક વાર્તા છે .બાળકના જન્મધાતા છઠ્ઠા દિવસે તેની જન્મ કુંડળી નક્કી કરવા આવે છે.જો વિધાતા બાળકના મસ્તિક પર હાથ મુકે તો તે ડોક્ટર બને કાં તો હાર્ડવેર –સોફ્ટવેર એન્જીનીયર બને,જો વિધાતા બાળકના હૃદય પર હાથ મૂકે તો  કવિ બને કાં  સાહિત્યકાર બને,જો વિધાતા હાથ-પગ પર હાથ ફેરવે તો તે કુશળ કારીગર બને,પરંતુ જયારે વિધાતા સમગ્ર શરીર પર માથાથી પગ સુધી હાથ ફેરવે તો તે “શિક્ષક “બને છે .આ શિક્ષકના અસ્તિત્વનો શણગાર છે.વર્ષોથી દરેક સમાજમાં શિક્ષકોનું સ્થાન મહત્વપૂર્ણ અને આદરણીય છે.કોઈ સમાજ કેવો છે તેનો આધાર તેના શિક્ષકો કેવા છે તેના પર છે.તો પ્રશ્ન  થાય કે, શિક્ષક એટલે શું ?

      શિસ્ત ક્ષમા,અને કલાનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક.

      જે સતત શીખતો રહે અને શીખવતો રહે તે શિક્ષક

                                                         શિક્ષક  એટલે.......

Ø  કંકરમાંથી શંકર બનાવે તે શિક્ષક.

Ø  કલાભવ અને ભાવકલા નું વિતરણ કરે તે શિક્ષક.

Ø  વર્ગમાં પ્રેમવર્ગ  અને વર્ગમાં વનમાળી બને તે શિક્ષક .

Ø  જેની એક આંખ માઈક્રોસ્કોપ અને એક આંખ ટેલીસ્કોપ હોય તે શિક્ષક.

Ø  બાળકોના સ્પિરીટ  ટ્રાન્સફર કરે તે શિક્ષક.

Ø  વર્ગ વાચસ્પતિ અને વિષય વાચસ્પતિ બને તે શિક્ષક .

Ø  બાળભાષ્યકાર બને તે શિક્ષક

Ø  જીવનને ધન્ય કરે તે શિક્ષક.

Ø  પથ્થરને પારસ કરે તે શિક્ષક..

મહાન વિશ્વવિભૂતિ  ડૉ.રાધાકૃષ્ણન આપણી શિક્ષણ પરંપરાના પ્રહરી હતાં.વિશ્વનાં તત્વ ચિંતકોમાં અને દાર્શનિકો માં તેઓ શિરમોર હતા.ઋષિપરંપરાને અનુસરનાર ડૉ.રાધાકૃષ્ણનની  આગવી ઓળખ એટલે શિક્ષક.તેમનામાં એક શિક્ષક હંમેશા ઉન્નત સ્થાને વિરાજમાન છે.અમેરિકન પ્રમુખ વિલ્સન શિક્ષક,આયર્લેન્ડના પ્રમુખ ડો.વાલેરા ગણિત શિક્ષક,ઝેકોસ્લોવાકિયાના પ્રથમ પ્રમુખ જ્હોન મસારિક શિક્ષક –પરંતુ એ સૌની  શિક્ષક તરીકેની ઓળખ ભૂસાઈ ગઈ.તેમની માત્ર રાજકીય ઓળખ જીવંત બની. ડૉ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી પણ તે શિક્ષક રહ્યા.વિદ્યાર્થીઓએ તેમના દિવસને ઉજવવાનું નક્કી કર્યું ત્યારે ડૉ.રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ” શિક્ષકદિન “ તરીકે ઉજવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી તેથી ૫ મિ સપ્ટેંબર  શિક્ષકદિન તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે.શિક્ષક એ સમાજમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કરવાવાળું વ્યક્તિત્વ છે.કોઈપણ દેશ અથવા સમાજના નિર્માણમાં શિક્ષકની મહત્વની ભૂમિકા છે.શિક્ષક જ સમાજનું પ્રતિબિંબ છે.આકૃતિ છે.

વિનોબા ભાવેના શબ્દોમાં :શીલવાન સાધુ,પ્રજ્ઞાવાન જ્ઞાની અને કરુણાવાન માતા છે,પરંતુ શિક્ષકમાં આ ત્રણેય છે.

શિક્ષકનો દરજ્જો સમાજમાં હંમેશને માટે પૂજનીય રહ્યો છે.કોઈ તેને “ગુરુ” કહે છે કોઈ તેને “શિક્ષક “કહે છે.કોઈ “આચાર્ય’ કહે છે.ગુરુ કોઈપણ હોઈ શકે અને કોઈપણ થઇ શકે. ગુરુ એટલે માત્ર જે ભણાવી નાખે તે જ નહિ.ગુરુ કોઈપણ સંપ્રદાયનો ,કોઈપણ ધર્મનો કોઈપણ જ્ઞાતિ ,જાતિ ,સમુહ નો હોઈ શકે.અરે ભાઈ,બહેન,સગાસંબંધી જેની પાસેથી  આપણને પ્રેરણા મળે,માર્ગદર્શન મળે,જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ મળે અને જીવન સુગંધિત બને તે બધા ગુરુ જ કહેવાય .

                    ભારતીય સંસ્કૃતિમાં પણ શિક્ષકનું અનેરું સ્થાન છે.હિન્દુ ધર્મમાં શિક્ષકો માટે કહ્યું છે કે “આચાર્ય દેવો ભવ “એટલેકે શિક્ષક અથવા આચાર્ય ઈશ્વરની સમાન બનશે.આ એક શિક્ષકને તેના દ્વારા સમાજમાં આપેલા યોગદાનના બદલા સ્વરૂપે આપવામાં આવ્યું છે.માતૃદેવો ભવ ,પિતૃદેવો ભવ ,આચાર્ય દેવો ભવ,અતિથી દેવો ભવ,ગુરુદેવો ભવ ની ભવ્ય ભાવના આ ભૂમિમાં જ શક્ય છે.તેથીજ આપણા પ્રથમ શિક્ષક એ આપણી  માતા- છે.કે જેમની પાસેથી ગર્ભમાંથી સંસ્કારો મેળવ્યા છે.બીજા શિક્ષક એ પિતા છે કે જેમની પાસેથી આંગળી પકડીને પા-પા પગલી ભરતાં જીવનમાં આપણે આગળ વધ્યાં  છીએ.માતા-પિતાનું સ્થાન કોઈ લઇ શકતું નથી.તેમનું આપણી ઉપરનું ઋણ કોઈપણ રીતે ઉતરતું નથી.

એલેકઝાન્ડર કહે છે :

માતા-પિતાએ તો મને જન્મ આપ્યો,

પણ મારું જીવન મારા ગુરુને આભારી છે.

 એક શિક્ષક જ છે,જે આપણા ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા સમાન સમકક્ષ હોય છે, કારણ કે શિક્ષક પોતે જ સમાજમાં લાયક બને છે તેથી જ શિક્ષક ને સમાજનો” શિલ્પકાર “કહેવાય છે. કોઠારી પંચે તો  : શિક્ષકોને “ભારતના ભાવી ઘડવૈયા “તરીકે સંબોધિત કર્યા છે.

ડૉ.દાઉદભાઈ ઘાંચી એ શીખવ્યું:  Teacher is Knowledge Worker.

એક શિલ્પકારને
“શિક્ષકના હાથે બગડતી વર્તમાનની એક ક્ષણ પણ ભવિષ્યની ઈમારતનો પાયો હચમચાવી નાખે છે..”- ડૉ.રાધાક્રિષણનનું આ સુવાક્ય આજના સાચા શિક્ષકને  વિચારતા કરી  છે.

એક શિલ્પકારને જયારે પથ્થરના ટુકડામાં મૂર્તિ પડેલી દેખાય છે અને પોતાની કલાથી ટાંકણા દ્વારા એ પથ્થરમાંથી સુંદર દેવમૂર્તિ નું નિર્માણ કરે છે એવીજ રીતે શિક્ષણ સાથે સંકળાયેલ  શિક્ષક પાસે આવનાર પથ્થરરુપી વિદ્યાર્થીઓના અંતરમાં રહેલ વિવિધ મૂર્તિઓ ને પારખીને પોતાના જ્ઞાનરૂપી ટાંકણાથી લેખક,કવિ,શિલ્પકાર,વૈજ્ઞાનિક,નેતા એમ જુદી જુદી આકૃતિઓનું નિર્માણ કરવાનુ હોય છે. શિક્ષકતો સજીવ વ્યક્તિનાં અંતરમાં રહેલ દેવ મૂર્તિઓ નિર્માણ કરે છે.

ડૉ.રવિન્દ્ર દવે તારવ્યું કે,શિક્ષક-લોકકલ્યાણ નો કર્તા  છે. એ સદીઓથી સમાજમાં શિક્ષકનું સ્થાન મુઠ્ઠી ઉચેરું છે અને રહેશે.શિક્ષક એ કર્તવ્યપરાયણ સંસ્કારોનો પ્રવાહ,અનુશાશન પાલક ,અધ્યયનશીલ,ચિંતનશીલ ,નિર્મળ અને પ્રેમાળ ,સત્ય અને પ્રિય વાણી બોલનાર શ્રધ્ધાવાન ,માનવધર્મ ના પોષક,સર્વત્રજ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર જ્યોત છે.શિક્ષકના જ્ઞાનરૂપી શસ્ત્ર અને શાસ્ત્રના માધ્યમ વડે કાદવમાંથી કમળરૂપી ભવ્ય અને દિવ્ય આત્માઓનું નિર્માણ થાય છે.વર્ગ ને સ્વર્ગ બનાવીને શિક્ષક ચમત્કાર કરી શકે છે.વિદ્યાર્થીના આદર અને પ્રેમ એ જ શિક્ષકનો શ્રેષ્ઠ પુરસ્કાર છે.ભલે ,આપણને કોઈ ઉત્તમ શિક્ષકનો એવોર્ડ ન આપે,તેથી શું ?આપનો વ્યવસાય જ ઉત્તમ છે અને તેના આપને સૌ કલાકાર છીએ તેથી-

ભગવતીકુમાર વર્મામાં કહે છે :

આ ક્ષણો પછીથી નહિ રહે,

ન સુવાસ ફોરશે શ્વાસમાં,

ચાલો સંગ થોડુક ચાલીએ,

સમયના દીર્ધ પ્રવાસમાં.

શિક્ષકમાં સાચી કર્તવ્યભાવના અને સજ્જનતા જ્યાં સુધી શિક્ષકમાં રહેશે,ત્યાં સુધી તેમણે રાષ્ટ્ર અને વિદ્યાર્થી સન્માન આપતા રહેશે.

 આજના યુગમાં ‘ઈન્ટરનેટ ‘ Online Learning Technology Enhanced Learning (TEL) જેવા ઘણાં સંસાધનો તથા શિક્ષણનાં વિવિધ સ્રોતો પ્રાપ્ત છે.છતાં પણ દીવાથી દીવાને પ્રગટાવવાનું કાર્ય,વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનું કાર્ય,જ્ઞાનની અભીપ્સાને જાગ્રત કરવાનું કાર્ય,ઉત્તમ ચરિત્રઘડતરનું કાર્ય,જીવંત અને ચૈતન્યથી ધબકતા શિક્ષક સિવાય અસંભવ છે.

     વિશ્વનું કોઈપણ વૈજ્ઞાનિક ઉપકરણ ગમેં તેટલું પ્રબળ કેમ ન હોય,પણ એ શિક્ષકનું સ્થાન ક્યારેય લઇ શકશે નહિ.શેખાદમ આબુવાલા: શિક્ષકને જોઈ ગાતાજ રહે છે.

નથી ગમતું ઘણું,પણ કૈક તો એવું ગમે છે .

બસ,તેના કારણે આ ધરતીમાં રહેવું ગમે છે.

 તો ચાલો ,આપણા શિક્ષત્વને ઉજાગર કરીને આપણે સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરીએ....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

17 August 2018

શ્રી અટલ બિહારી વાજપાયીનું જીવન ઝરમર. આખી સૃષ્ટિ પણ રડી પડી આજે.16-8-2018

ભારત આઝાદ થયો. ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે કામગીરી કરી. ઉપરાંત ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહીને ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યાં. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યક્તિ હતાં. તેઓ વિપક્ષીદળોના નેતાઓને ખૂબ જ માન-સન્માન આપતા હતાં. અને વિરોધ પક્ષો પણ વાજપેયીને વિચાર કે સૂઝાવને આવકારી લેતા હતાં. આઝાદ ભારતના આ મહાન રાજનેતાની જિંદગીની સફર તરફ નજર કરવા જેવી છે :

અટલ બિહારી વાજપેયીના પિતાનું ક્રિષ્નાબિહારી વાજપેયી હતું. તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪નો રોજ થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ(હાલની લક્ષ્મીબાઈ કોલજ)માં અને પછી ઉત્તરપ્રદેશ સ્થિત કાનપુરની ડી.એ.વી કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. શરુઆતથી સામાજિક કાર્યોમાં રસરુચિ. વાજપેયી વ્યવસાયે પત્રકાર હતાં અને કવિતા લેખન પ્રત્યે રસરુચિ હતી. જોકે, વાજપેયીની ડેસ્ટિની રાજનીતિ તરફ જઈ રહી હતી.

- ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા

- ૧૦ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા

- બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

- ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.

૧૯૫૧ : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.

૧૯૫૭-૬૨ : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.

૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.

૧૯૬૨ : રાજ્યસભાના સાંસદ બન્યા.

૧૯૬૬-૬૭ : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ

૧૯૬૭ : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્યા.

૧૯૬૭-૭૦ : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી

૧૯૬૮-૭૩ : અધ્યક્ષ, ભારતીય જન સંઘ

૧૯૭૧ : પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે )

૧૯૭૭ : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્યા)

૧૯૭૭-૭૯ : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા.

૧૯૭૭-૮૦ : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી

૧૯૮૦ : સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્યા)

૧૯૮૦-૮૬ : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)

૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬ : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી

૧૯૮૬ : સભ્યા, રાજ્યસભા

૧૯૮૮-૮૯ : સભ્ય, જનરલ પર્પઝ કમિટી

૧૯૮૮-૮૯ : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી

૧૯૯૦-૯૧ : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ

૧૯૯૧ : દસમી લોકસભામાં ચૂંટાયા ( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)

૧૯૯૧-૯૩ : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.

૧૯૯૩-૯૬ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ

૧૯૯૩-૯૬ : વિપક્ષ નેતા, લોકસભા

૧૯૯૬ : ૧૧મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૭મી વખત)

૧૬ મે ૧૯૯૬ થી ૩૧ મે ૧૯૯૬ : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા( ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) બનાવ્યા નહીં.)

૧૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા

૧૯૯૭-૯૮ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ

૧૯૯૮ : ૧૨મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૮મી વખત)

૧૯૯૮-૯૯ : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા

૧૯૯૯ : તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.

૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪ : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.

૨૦૦૪ : ચૌદમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્યા.

આમ, અટલબિહારી વાજપેયી એક વિદ્વાન, નિષ્ઠાવાન અને જનહિતને અગ્રસ્થાને રાખીને રાજનીતિ કરનાર રાજનેતા તરીકે કાયમ ઓળખાશે.

8 August 2018

વાંચન ,લેખન ,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય

વાંચન ,લેખન,ગણન અને નિદાન- ઉપચારાત્મક કાર્ય વર્ષ 2016-17 નું મોડ્યુલ મને મિશન વિદ્યા કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.જે બાળકો શાળાએ આવે જ છે અને મેન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બાળકોને શીખવવા માટે શિક્ષકને ઉપયોગી આનાથી વિશેષ કશું ના હોઈ શકે.તેમાં સમાવિષ્ટ તમામ વિગતો જો ધ્યાન પૂર્વક જોઈ તેને માર્ગદર્શકરૂપ લઇ વર્ગમાં કાર્ય કરતી વખતે ઉપયોગ કરીએ તો મારા મત પ્રમાણે અતિ ઉત્તમ કામ થઈ શકે.

ઓહો....એના અંદર તો જુઓ?.....
વાંચન..લેખન...ગણન ..
એમાં બાળકોની મુશ્કેલીઓ..ક્ષતિઓ...
શિક્ષકની મુંઝવણ....
તેને નિવારવાના ઉપાયો,ઉપચાર,યુક્તિઓ....
પ્રવૃતિઓ...નમૂનાઓ.
વગેરે........

શીખવવાની સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતો.
વાહ...........
લેખન-સંપાદન
ગજબના છે હો.......
તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું.શબ્દો તો ઓછા પડે.

ધોરણ 1 માથી જ આનો અમલ થાય તો નક્કર પરિણામ મળી શકે.(ફક્ત વાંચન ગણન લેખન. વય કક્ષા મુજબ )

શિક્ષક પોતાના અનુભવો જોડીને કામ કરી શકે.
દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે.પ્રિય બાળકોમાં પણ વિભાગ હોય છે.જેથી બધાને સાથે લઈ ચાલવું શક્ય નથી.તેમની ક્ષમતા મુજબ કામ કરવાનું છે.અને આ ઘડતરનું કામ આપણું છે.બાળકોને પાયાનું જ્ઞાન ના હોય તો તેને ભણવામાં રસ પડશે નહીં.શિક્ષક પોતે પણ આત્મવિશ્વાસ ખોઈ બેસશે.
આ મારો મત છે . તમારા માટે બીજું શ્રેષ્ઠ હોઈ શકે.
મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

9 July 2018

મીના ની દુનિયા રેડિયો કાર્યક્રમ

મિત્રો આવતી કાલે તારીખ 10/07/2018ને મંગળવારના રોજથી મીનાની દુનિયા અંતર્ગત રેડિયો પ્રોગ્રામનું લોન્ચિંગ થવાનું છે તો તે માટે SMC, ગ્રામજનો અને વાલીઓ  તથા શિક્ષક ગણ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લે તેવું ખાસ આયોજન આપની કક્ષાએથી  કરશો. પ્રોગ્રામ પૂર્ણ થયેથી ગુગલ ફોર્મમાં ડેટા ફરજિયાત સબમિટ કરશો.


ફોર્મ સબમીટ માટે ની link

👇👇👇👇👇
touch here



*🔥👆🏻👆🏻👆🏻👆🏻આ લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહેશે..🔥*

મીના ની દુનિયા રેડિયો કાર્યક્રમ

મિત્રો આવતી કાલે તારીખ 10/07/2018ને મંગળવારના રોજથી મીનાની દુનિયા અંતર્ગત રેડિયો પ્રોગ્રામનું લોન્ચિંગ થવાનું છે તો તે માટે SMC, ગ્રામજનો અને વાલીઓ  તથા શિક્ષક ગણ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લે તેવું ખાસ આયોજન આપની કક્ષાએથી  કરશો. પ્રોગ્રામ પૂર્ણ થયેથી ગુગલ ફોર્મમાં ડેટા ફરજિયાત સબમિટ કરશો.


ફોર્મ સબમીટ માટે ની link

👇👇👇👇👇
touch here



*🔥👆🏻👆🏻👆🏻👆🏻આ લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહેશે..🔥*

7 July 2018

kala mahakumbh

સંગીત તેમજ અન્ય કલા ક્ષેત્રે રસ ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા કલામહાકુમ્ભ નુ આયોજન કરેલ છે.
તેનુ ઓંલાઇન રજિસ્ટ્રેશન તા 3-7-2018 થી 15-7-18 સુધી ચાલુ છે.

21 June 2018

ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિન /21જૂન 2018

આજનો દિવસ એટલે 21 જૂન..

આજે કર્કવૃત ઉપર સૌથી લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત.
અથવા એમ પણ કહેવાય કે ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ.
આપના મિત્રો ને પણ આ માહિતી શેર કરો.

21મી જૂન સૌથી લાંબો દિવસ કેમ ?

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ દિવસને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ 20મી માર્ચે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યા બાદ હવે 21મી જૂને વર્ષના સૌથી લાંબા એટલે કે, 13 કલાક 14 મિનિટના દિવસનો અનુભવ કરશે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. 21મી જૂને દિવસ લાંબામાં લાંબો થાય છે. 22મી જૂનથી સૂર્ય દિવસ ટૂંકો અને રાત લાંબી થવાની ગણતરી રહેશે.

ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે.

21મી જૂનથી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતો હોવાથી તેને સૂર્યનું દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. દિવસ રાતની લંબાઇ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યનું પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડીની મિશ્ર આબોહવાનો અનુભવ થાય છે. તેથી 21મી જૂન સંપાત એટલે કે વર્ષનો લાંબોમાં લાંબો દિવસ કહેવાય છે.

આજના દિન વિશે મારી શાળા પર એક નજર....







30 May 2018

12th Result Declared

ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ વેબસાઈટ પર મુકાઈ ગયું છે.
અહીં ક્લિક કરો.

10 January 2018

income tax calculator

મારા વ્હાલા શિક્ષક મિત્રો,

તમને ઉપયોગી  ફાઇલ તૈયાર કરી છે,તમારો બેજિક પગાર લખવાથી તમારા પગારની ઓટોમેટીક ગણતરી  થઇ જશે  અને તેની મદદથી તમે સને 2017-18 નુ  આકારણી પત્રક   સહેલાઇથી ભરી શકશો.

    PAY CALCULATER pass word-SMK246146

    AAKAARANI PATRAK

                                                                                                           MADE BY -SATNAM PATEL